હિજાબ, સમાજ અને ધર્મ
હિજાબ, સમાજ અને ધર્મ કર્ણાટકમાં કેટલીક ઘટનાઓ બની જેને લીધે રાજયસરકારે કેટલાક દિવસો માટે સ્કુલ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. ઘટનાઓને રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિપેક્ષ્યમાં જોઈ શકાય. રાજકીય પ્રોપોગોન્ડા મહત્વનું કારણ છે, પણ અહી સામાજિક-ધાર્મિક બાબતની વાત કરવી છે. ૧. સ્કુલમાં એકસરખો ગણવેશ હોવો જોઈએ તે બાબતે મોટાભાગે સમાજમાં મતભેદ નથી. કેટલાક નાના-મોટા ફેરફારો નિશાળો ચલાવી લેતી હોય છે. દા.ત ૧૯૮૦ના દાયકામાં અમારી નિશાળમાં છોકરીઓ માટે સ્કર્ટ અને બુશર્ટ, અને છોકરાઓ માટે ચડ્ડી અને બુશર્ટ ગણવેશ તરીકે હતો. કેટલીક રૂઢીચુસ્ત પરિવારની કે શરીરે ભારે દીકરીઓ મોટેભાગે સ્કર્ટ નીચે પાયજામો પહેરતી. તો કેટલીક દીકરીઓ છાતી ઢાંકવા ઓઢણું ઓઢતી, એક-બે મુસ્લિમ છોકરીઓ માથે પણ ઓઢતી, તો પણ સંસ્થાને આ નાના મોટા ફેરફારોથી કોઈ અડચણ ન હતી. પછીના વર્ષોમાં તો પંજાબી ડ્રેસ અને ઓઢાણું સત્તાવાર ગણવેશ તરીકે આવ્યો. વાલી-વિદ્યાર્થીઓ સાથે ગણવેશ અંગેની કોઈ ચર્ચા વગર જ તે ગણવેશ દાખલ થયો, બધાએ સ્વીકાર્યો પણ ખરો, તે સમયે સમાજમાં પંજાબી ડ્રેસ આજની માફક ચલણમાં ન હતો છતાં મર્યાદા જળવાય તેવો ગણવેશ હતો તેમ સૌને લાગતું. સ્કર્